સોમવાર, 9 જુલાઈ, 2012

ગુરુમંત્ર

એક ઘટના સદીઓથી ઘટતી આવી છે
કવિએ પણ એ જ રીત અપનાવી છે
જ્યારથી નિષ્ફળતાને ગુરુ બનાવી છે
સફળતા સામા પગલે મળવા આવી છે...એક

અવસર આપ્યાં છે નિષ્ફળતાએ
મુજને એકલતામાં સ્વ ચિંતનનાં
સાંભળેલું સત્ય સાબિત થયું કે
વ્યકિત પર રંગ ચડે છે મથનનાં....એક

એકલતાના કિનારે વિચરતો રહ્યો
જાણે કે કુંભારનું કામ કરતો રહ્યો
ચિંતનનાં ચાકડે વિચારોને હું
ઘડાની જેમ સર્વ પ્રકારે ઘડતો રહ્યો...એક

સ્વ ચિંતનની વિશ્વ ચિંતનથી
તુલના સદાય કરતો રહ્યો
વિચારોને જેમ જેમ કસતો રહ્યો
ચિંતન ક્ષિતિજે વિસ્તરતો રહ્યો....એક

મનમાં આશાનો દીવડો પેટાવી
નિષ્ફળતાને ચિંતનથી સજાવજો
નિષ્ફળતા એ જીવનનો અંત નથી
નિષ્ફળતાથી મોટો કોઈ 'ગુરુમંત્ર' નથી
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો